Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સર્જનાત્મક લોકો કોઇ માધ્યમમાં બંધાઇ જતાં નથીઃ મનોજ

સર્જનાત્મક વ્યકિતનું કોઇ એક જ પસંદગીનું માધ્યમ હોતું નથી. આ વાત ફેમીલી મેન ૨ના શ્રીકાંત એટલે કે મનોજ બાજપાયીએ કહી હતી. મનોજ હાલમાં ફિલ્મો અને ડિજિટલ પ્લૅટફોર્મ એમ બંને માધ્યમમાં સક્રિય છે. તેની સિરીઝ 'ફેમિલી મેન ૨' તાજેતરમાં જ રિલીઝ થઈ છે.  કોઇપણ માધ્યમ હોય એનાથી ફરક પડતો નથી. તે અંગે મનોજ કહે છે-જે લોકો સર્જનાત્મક છે એમના માટે કોઇ એક માધ્યમ તેને બાંધીને રાખી શકતું નથી.   કારણ કે તમારે માધ્યમ ઉપર નહિ, પરંતુ તમારા કામ ઉપર જ ધ્યાન આપવાનું હોય છે. તમારે એવું સારું કામ શોધવાનું હોય છે જે તમને સતત ખુશ અને ઉત્સાહમાં રાખી શકે. હાલના સમયમાં એવી અનેક ફિલ્મો છે જે થિએટરમાં રિલીઝ કરવાની હતી જે ડિજીટલ માધ્યમ પર આવી છે. ડિજિટલ માધ્યમ અત્યારે એક આશીર્વાદ સમાન છે. સિનેમાઘર પણ ફરીથી શરૂ થશે જ.

(10:15 am IST)