Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અક્ષરધામ આતંકી હુમલો પર બનશે ફિલ્મ : પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: વર્ષો પહેલા ગુજરાતના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલાની મોટી ઘટના પર ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે. 'સ્ટેટ ઓફિસો: 26/11' શ્રેણીના નિર્માતાઓએ ગુરુવારે 'સ્ટેટ ઓફ સીઝ: અક્ષરધામ' ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી. ગાંધીનગર શહેરના અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર, 2002 ના રોજ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 30 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 80 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

(5:45 pm IST)