Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેએ લીધા સાત ફેરા : પંજાબમાં કર્યા લગ્ન

મુંબઈ: કપિલ શર્માના શો પર લોકોને ખુબ હસાવનારા સુગંધા મિશ્રાએ થોડા મહિના પહેલા જ તેમના લગ્ન પહેલાના સમારોહના ફોટા સાથેની હેડલાઇન્સ બનાવી હતી. તે સંકેત ભોંસલે સાથે લગ્ન કરવા જઈ રહી છે, જ્યારે હવે આ બંનેના લગ્નની ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં સુગંધા મિશ્રાએ સંકેતના નામે મેંહદી પણ લગાવી છે. સંકેતે મેંહદી સમારોહ દરમિયાન એક વીડિયો શેર કર્યો છે, જેમાં મેંહદી સમારોહ દરમિયાન બંને હાથ પર મેંદી જોવા મળી રહી છે. આ બન્ને કોમેડીયનએ પંજાબમાં લગ્ન કર્યા છે. જેમાં પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

(5:08 pm IST)