Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પંકજ સતત આ વાતનું ધ્યાન રાખે છે

અભિનેતા તરીકે પંકજ ત્રિપાઠીએ જબરૂ કાઠુ કાઢ્યું છે. દર્શકોના દિલમાં તેણે પોતાના અલગ અલગ પાત્રો થકી મોટુ સ્થાન બનાવી લીધું છે. તેમાં પણ વેબ સિરીઝ મિરઝાપુરના કાલીન ભૈયાએ તેમની અલગ જ નામના બનાવી દીધી છે. પંકજ કહે છે હું કોઇપણ ફિલ્મ કે સિરીઝનું કામ પસંદ કરું ત્યારે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખુ છું કે તેમાં સ્ત્રી-પુરૂષના પાત્રોમાં સમાનતા રાખવામાં આવી છે કે નહિ. પંકજ હવે આગામી ૩૦મીએ રિલીઝ થઇ રહેલી ક્રિતી સેનનની ફિલ્મ મિમીમાં ખાસ ભુમિકામાં જોવા મળશે. સરોગસી પર આધારતી આ ફિલ્મ નેટફિલકસ અને જીયો સિનેમા પર રિલીઝ થવાની છે. કોઇપણ ફિલ્મ પસંદ કરે તો સૌથી પહેલો વિચાર શું આવે છે? એ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે 'હું એવી ફિલ્મો પસંદ કરુ છું કે જેમાં કંઇક એવું હોય જેનાથી લોકોને સંદેશો મળતો હોય. આ ઉપરાંત જેન્ડર સેન્સીટીવીટીનું પણ ધ્યાન રાખુ છું. ફિલ્મ બનાવનાર શું કહેવા માંગે છે એ પણ ધ્યાનમાં લઉ છું. દરેક સ્ટોરીનો એક ઉદ્દેશ હોય છે મેસેજ આપવાનો. એથી એ બાબતને હું સતત મારા મગજમાં રાખુ છું.

(10:12 am IST)