Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

નિયાએ અલગ જ સ્થાન બનાવી લીધું છે

ટીવી પરદાની અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. એકત્રીસમો જન્મ દિવસ ઉજવનાર નિયા આજે પોતાની અલગ જ ઓળખ ધરાવે છે. એક સમય એવો પણ હતો જ્યારે તેની પાસે નવ મહિના સુધી કામ જ નહોતું. એક દસકા પહેલા કાલી નામની સિરીયલથી ટીવી પરદે શરૂઆત કરનાર નિયાએ એ પછી અનેક હીટ શો કર્યા છે. સોશિયલ મિડીયા પર પણ પોતાની પોસ્ટને લીધે ચર્ચામાં રહેતી અને ચાહકોમાં નામના ધરાવતી નિયાએ એક હજારો મેં મેરી બહેના હૈ, જમાઇ રાજા, ઇશ્ક મેં મરજાવા, અને નાગિન-ભાગ્ય કા ઝહેરીલા ખેલ સહિતના શો થકી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. તે ફિઅર ફેકટર જેવા રિયાલીટી શોમાં પણ કામ કરી ચુકી છે. સોશિયલ મીડિયા પર ૬૫ લાખથી વધુ લોકો નિયા શર્માને ફોલો કરે છે. તે અનેક મોટી બ્રાન્ડ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે. તાજેતરમાંતેણે મુંબઇમાં એક મોટું ઘર પણ ખરીદ્યું છે. જેની તસવીર તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુકી કરી છે. ચાહકો તેની બોલ્ડ સ્ટાઇલ પણ ખુબ પસંદ કરે છે.

(10:28 am IST)