Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અભિનેત્રીઓ આ માટે અદ્દભુત સમયઃ નુસરત

અભિનેત્રી નુસરત ભરૂચાની ફિલ્‍મ જનહિત મેં જારી સફળ નિવડતાં તે ખુશ છે.   તેણે ફિલ્‍મમાં કોન્‍ડોમ વેંચતી યુવતિ મનોકામનાનો રોલ નિભાવ્‍યો છે. પોતાના આ પાત્રને તેણે પરફેક્‍ટ રીતે રજુ કર્યુ છે. આ ફિલ્‍મમાં તેણે મુખ્‍ય ભુમિકા નિભાવી છે. નુસરત કહે છે હવે ફિલ્‍મોમાં મહિલાઓની ભુમિકાઓમાં બદલાવ આવ્‍યો છે. હવેની ફિલ્‍મોમાં મહિલા પાત્રો માત્ર કઠપુતળી સમાન બનીને નથી રહેતારં. હવે આ પાત્રો મુખ્‍ય, મહત્‍વના અને જટીલ થઇ ગયા છે. ઇન્‍ડસ્‍ટ્રીમાં હાલનો સમય મહિલા કલાકારો માટે ખુબ જ મહત્‍વનો અને અદ્દભુત છે. અભિનેત્રીઓ હવે મુખ્‍ય પાત્રો ભજવવાની સાથે સાથે દર્શકોના દિલ દિમાગ પર અસર પણ છોડી રહી છે. અગાઉ હિરોઇનના ભાગે માત્ર ડાન્‍સ અને ગીતો જ આવતાં હતાં. પરંતુ હવે તેને મુખ્‍ય ભુમિકાઓ મળવા માંડી છે અને આવી ફિલ્‍મોને દર્શકો સફળ પણ બનાવી રહ્યા છે. નુસરતને છોરી, વિદ્યાને શેરની, યામીને એ થર્સડે અને ક્રિતીને મીમી જેવી ફિલ્‍મોમાં મુખ્‍ય ભુમિકામાં લોકોએ નિહાળી છે.

(10:42 am IST)