Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાથી દયાબેન, મહેતા સાહેબ બાદ હવે ટપ્પુ પણ વિદાય લેશે ! : રાજ અનાડકટ ટુંક સમયમાં જ મોટા પડદા પર જોવા મળે તેવી શકયતા

રણવીર સિંહ સાથે મોટા પ્રોજેકટમાં રાજ કામ કરી રહ્રયો હોવાનો અહેવાલ : હજૂ ટપ્પૂ એટલે કે રાજ અનાડકટની શો છોડવાની વાત પર ઓફિ સિ યલ સ્ટેટમેન્ટ આવવાનુ બાકી

નવી દિ લ્લી તા.૨૯ : તારક મહેતા કા ઉલ્ટા ચશમા શોને હાલમાં જ ૧૪ વર્ષ પુર્ણ થયા છે. પરંતુ આ વર્ષે શોની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધતી જ જઈ રહી છે. પહેલા દયાબેન તે બાદ તારક મહેતા અને હ્રવે શોમાં ટપ્પુની ભુમિ કા ભાજવતો રાજ અનાડકટ પણ શો છોડી રહ્રયો છે. તેવી વાતે વેગ પકડયો છે અને રાજ અનાડકટ ટુંક સમયમાં જ રનવીર સિ ંહ સાથે મોટા પડદે જોવા મળશે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. જોકે હજૂ ટપ્પુનાં શો છોડવાને લઈ કોઈ ઓફિસિ યલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી.

ઘણા લાંબા સયમથી ટપ્પૂ શૉમાં નથી દેખાઇ રહ્યો. શૉમાં આનુ કારણ ટપ્પૂને અભ્યાસ માટે મુંબઇથી બહાર જવાનુ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ અસલમાં ખબર છે કે તે હવે શૉ ને અલવિદા કહી ચૂક્યો છે. અત્યાર સુધી માત્ર વાતો જ થતી હતી પરંતુ હવે સમાચાર છે કે રાજ અનડકટ બૉલીવુડ માટે રાહ પકડી ચૂક્યો છે.

તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ દ્વારા રાજે આની જાણકારી આપી હતી. રણવીર સિંહની સાથે મોટા પ્રૉજેક્ટમાં દેખાવવાનો છે. હાલમાં તે પ્રૉજેક્ટ વિશે વધુ કોઇ માહિતી રિલીવ નથી કરવામં આવી.

આની સાથે જ સ્પષ્ટ થઇ ગયુ છે કે, દયા બેન, મહેતા સાહેબ બાદ હવે ટપ્પૂ પણ શૉમાંથી અલગ થઇ ગયો છે, અને જલદી મોટા પડદા પર દેખાશે, મોટા મોટા સ્ટાર્સની સાથે..

 

(10:46 pm IST)