Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

પંકજ ત્રિપાઠીએ લઇ લીધો મોટો નિર્ણય

ગોપાલગંજ બિહારના પંકજ ત્રિપાઠીએ બોલીવૂડમાં અભિનયની દૂનિયામાં કાઠુ કાઢી લીધું છે. તેણે પોતાની મહેનતથી અહિ ચોક્કસ સ્‍થાન મેળવી લીધું છે અને ટોચના અભિનેતાઓની હરોળમાં તે હાલ કામમાં સતત વ્‍યસ્‍ત બન્‍યા છે. પંકજ ત્રિપાઠીને હાલમાં ચાહકો ક્રિમીનલ જસ્‍ટીસ વેબ સિરીઝમાં એડવોકેટના રોલમાં નિહાળી રહ્યા છે. આ સિરીઝના એક એક એપિસોડ દર શુક્રવારે રિલીઝ કરવામાં આવી રહ્યા છે. પંકજે નક્કી કર્યું છે કે તે હવેથી ફિલ્‍મોમાં અપશબ્‍દોનો ઉપયોગ નહીં કરે. શાનદાર ડાયલોગ્‍સને કારણે તેની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવે છે. વેબ-સિરીઝ મિર્ઝાપુરમાં તેનું કાલીન ભૈયાનું પાત્ર તેના ચાહકોને ખૂબ ગમ્‍યું હતું. અગાઉ તેણે જણાવ્‍યું હતું કે તે અપમાનજનક શબ્‍દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરે. સાથે જ એમ પણ જણાવ્‍યું હતું કે જો એવા શબ્‍દોનો ઉપયોગ કરવાની જરૂર પડી તો એ વાતની તેઓ ખાતરી લેશે કે શું એ પાત્ર અને સ્‍થિતિને બંધ બેસે છે. પંકજ કહે છે મેં નક્કી કરી લીધું છે કે મારાં જે પણ પાત્રો હશે એમાં જો ખૂબ જરૂરી લાગશે તો જ હું એને ક્રીએટિવ રીતે દેખાડીશ.

(10:13 am IST)