Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કરણ જોહરે દિલ્હી સરકારને સિનેમા હોલ ખોલવાની કરી અપીલ

નવી દિલ્હી: દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. વધતા જતા કેસોને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 28 ડિસેમ્બરે સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટીપ્લેક્સને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મલ્ટિપ્લેક્સ એસોસિએશને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને આ આદેશ પર વિચાર કરવા અપીલ કરી હતી. કોરોનાને કારણે સિનેમા માલિકોની સાથે-સાથે ફિલ્મોને પણ ભારે નુકસાન થયું છે. ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી અને ઘણી OTT પર રિલીઝ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર સિનેમા હોલ બંધ થવાથી તેમની ચિંતા વધી છે. દરમિયાન, કરણ જોહરે પણ એક ટ્વિટ કરીને દિલ્હી સરકારને માર્ગદર્શિકા સાથે થિયેટર ખોલવા પર વિચાર કરવા વિનંતી કરી હતી.

(5:05 pm IST)