News of Monday, 1st August 2022
દર્શકોએ મને વૈભવ તરીકે સ્વીકાર્યો અને પ્રેમ કર્યો તે બદલ આભારઃ આશ્રય મિશ્રા
સોની સબ પર 'શુભ લાભ- આપકે ઘર મેં'માં
(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર શુભ લાભ- આપકે ઘર મેંમાં પ્રવાસ અંગે આશય મિશ્રા જણાવે છે કે પ્રવાસ બહુ ઉત્તમ રહ્યો છે અને સહ- હું જેમની સાથે કામ કરી રહ્યો છું તે સહ- કલાકારો, ટીમ, પ્રોડ્યુસરો અને દેખીતી રીતે જ પાત્રના ગ્રાફ્સને કારણે તે વધુ બહેતર બની રહ્યો છે. મારે માટે આ આનંદિત અનુભવ રહ્યો છે. મને મનનની જગ્યાએ લેવામાં આવ્યો ત્યારે શરૃઆતમાં ખચકાટ અનુભવતો હતો, કારણ કે તે શોમાંથી બહાર નીકળ્યો અને તે પછી હું શોનો હિસ્સો બન્યો. આથી દર્શકો મને ઝીલી શકશે કે નહીં, તેઓ મને વૈભવ સ્વીકારશે કે કેમ તે વિશે ખચકાટ અનુભવતો હતો. ઉપરાંત શો લોન્ચ થાયત્યારે પાત્રોના ચહેરા યાદ રહી જાય છે.
(4:10 pm IST)