સમય સાથે બધુ વિકસીત થયું છેઃ કરિશ્મા સાવંત
ટીવી શો 'યે રિશ્તા કયા કહેલાતા હૈ'માં આરોહીની ભુમિકા નિભાવી રહેલી અભિનેત્રી કરિશ્મા સાવંત કહે છે અગાઉ એક સમય એવો હતો જેમાં રૂઢીવાદી વિચારસરણી જામેલી હતી. પરંતુ આજે સમય સાથે તમામ ચીજો વિકસીત થઇ છે. ટીવી પરદો પણ ખુબ વિકસીત થયો છે અને અહિ દર્શકોની સંખ્યા પણ અત્યંત વધી ગઇ છે. મારી કારકિર્દીમાં મને કદી પણ મહિલા વિષયક સ્ટીરીયોટાઇપ રોલ મળ્યા નથી. હું હમેંશા અભિનેત્રી બનવા તત્પર હતી. મારા મગજમાં હમેંશા રચનાત્મક અભિનયના વિચારો હતાં. આથી હું અભિનેત્રી જ બનવા ઇચ્છતી હતી. રાજન શાહી દ્વારા નિર્મીત યે રિશ્તા કયા કહેલાતા હૈ શો લાંબા સમયથી ચાલી રહ્યો છે. લીપ આવ્યા પછી પાત્રો બદલાયા છે છતાં દર્શકો શો સાથે જોડાયેલા છે. કરિશ્મા કહે છે મને આ શોમાં કામ કરીને એવું લાગવા માંડ્યું છે કે માત્ર રીલ લાઇફમાં નહિ, રિયલ લાઇફમાં પણ મારે ઘણાબધા ભાઇ બહેન છે. તમામ દ્રશ્યોમાં કામ કરવાનો મને ખુબ જ મજેદાર અને પરિવાર સાથે જ હોવાનો અનુભવ થાય છે.