દર્શકોનો પ્રેમ મારા માટે વધુ મહત્વનો છેઃ આમ્રપાલી ગુપ્તા
ટીવી પરદાની અભિનેત્રી આમ્રપાલી દૂબેને ચાહકો તેણીના નેગેટીવ રોલને કારણે વધુ ઓળખે છે. અત્યાર સુધી તેણે જેટલા રોલ નિભાવ્યા છે તે નેગેટીવ જ રહ્યા છે. આમ્રપાલી કહે છે મને લોકો ટાઇપકાસ્ટ કહે છે પરંતુ તેનાથી મને ફરક પડતો નથી. મને લાગે છે કે દર્શકો મને આવા રોલમાં જ પસંદ કરે છે. દર્શકોના દિલમાં જગ્યા બનાવી રાખવી અને પ્રેમ મેળવતા રહેવું એ મારા માટે વધુ મહત્વનું છે. હાલમાં આમ્રપાલી ટીવી શો ‘ગૂડ સે મીઠા ઇશ્ક' શોમાં પણ નેગેટીવ રોલ નિભાવી રહી છે. તે કહે છે તમે જ્યાં કામ કરો ત્યાં વાતાવરણમાં તમારે એડજસ્ટ થવું જરૂરી છે. આ શોમાં હું થોડા યંગ લૂક સાથે અને થોડી ઓલ્ડ તથા મેચ્યોર દેખાઇ રહી છું. આ ઉપરાંત હું એક ડાન્સર પણ છું. અંગત જીવનમાં પણ મને ડાન્સ માટે ખુબ ઘેલુ છે. આ કારણે જ મને આ પાત્ર ખુબ ગમે છે. આમ્રપાલી હવે ટીવી ઉપરાંત બોલીવૂડ અને ઓટીટીમાં પણ કામ કરવા ઇચ્છે છે. હું ખુશ છું કે મારા દરેક પાત્રોને દર્શકોએ હમેંશા પસંદ કર્યા છે.