નવો પ્રયોગ કરી રહી છે તનાઝ કરીમ
ટીવી અને ફિલ્મી પરદે કામ કરી ચુકેલી અભિનેત્રી તનાઝ ઇરાની વીસમી ઓકટોબરથી શરૂ થઇ રહેલા નવા શો 'અપના ટાઇમ આયેગા'માં ઘમંડી રાણીનું પાત્ર ભજવતી જોવા મળશે. જયપુરના રાજાવત ખાનદાનની મહારાણી રાજેશ્વરીસિંહ રાવત નામનું પાત્ર તેને મળ્યું છે. જે નકારાત્મક રોલ છે. તનાઝ કહે છે નેગેટિવીટી માત્ર મારા પાત્રમાં જોવા મળશે. પહેરવેશ અને બનાવટી મેકઅપ કયાંય જોવા મળશે નહિ. આ પાત્રની ભવ્યતાથી હું પ્રભાવીત થઇ હતી. હું જો કે આવા નકારાત્મક પાત્રો રંગમંચ પર પહેલા પણ નિભાવી ચુકી છું. ટીવી પર પહેલી વખત મને આ રીતે નેગેટિવ પાત્ર ભજવવાની તક મળી છે. સામાન્ય રીતે મેં ફિલ્મો અને ટીવી પરદે ચુકબુલા અને ખુશમિજાજ છોકરીના રોલ જ નિભાવ્યા છે. પણ કલાકાર તરીકે અલગ-અલગ ન કરો ત્યાં સુધી તમારું પેટ ભરાતું નથી. મેં આ વખતે કંઇક નવો જ પ્રયોગ કર્યો છે અને આ રોલ નિભાવ્યો છે.