બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ફરી વાર વિલનના રોલમાં જોવા મળશેઃ પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરૂષ'માં રાવણની ભૂમિકા ભજવશે
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન એકવાર ફરી વિલનના રોલમાં જોવા મળશે. તે પ્રભાસ સ્ટાર ફિલ્મ આદિપુરૂષમાં રાવણની ભૂમિકા ભજવશે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યાં છે. ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ હશે. આ પહેલા સૈફ અલી ખાને તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં નેગેટિવ ભૂમિકા ભજવી હતી.
રાવણ બનશે સૈફ અલી ખાન
ઓમ રાઉતે સૈફના ફિલ્મમાં હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. આ સાથે તેમણે લખ્યુ- 7000 વર્ષ પહેલા વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી દાનવ હાજર હતો. #Adipurush.
ફિલ્મને ટી સિરીઝ પ્રોડ્યૂસ કરી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ છે. તે રામની ભૂમિકામાં છે. મૂડી 3ડીમાં હશે. તો ખબર છે કે કીર્તિ સુરેશ ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવી શકે છે. ફિલ્મને હિન્દી સહિત પાંચ ભાષાઓમાં બનાવવામાં આવશે.
એક અખબારના અહેવાલ પ્રમાણે, સૈફ આ રોલ વિશે વાત કરતા કહ્યું- ઓમી દાદાની સાથે બીજીવાર કામ કરવા માટે ઉત્સુક છું. તેમની પાસે ગ્રાન્ડ વિઝન અને ટેક્નિકલ નોલેજ છે. હું પ્રભાસની સાથે તલવારબાજી કરવા અને એક દાનવની ભૂમિકા ભજવવા માટે આતુર છું.
આ ફિલ્મને લઈને પ્રભાસે કહ્યુ હતુ, દરેક પાત્ર અને દરેક ચરિત્ર પોતાના પડકારની સાથે આવે છે, પરંતુ આ રીતની ભૂમિકાને ભજવવા મોટી જવાબદારી અને ગૌરવ આવે છે. હું આપમા મહાકાવ્યના આ પાત્રને ભજવવા માટે ખુબ એક્સાઇટેડ છું. ખાસ કરીને ઓમે તેને જે રીતે ડિઝાઇન કરી છે, મને વિશ્વાસ છે કે આપણા દેશના યુવા અમારી ફિલ્મ પર પોતાનો પ્રેમ વરસાવશે.