કુંડલી ભાગ્યમાં માનસી શ્રીવાસ્તવની એન્ટ્રી
ટીવી શો કુંડલી ભાગ્યમાં હવે નવી અભિનેત્રી માનસી શ્રીવાસ્તવની એન્ટ્રી થઇ ગઇ છે. ઝી ટીવી પરના આ શોમાં પ્રિતા (શ્રધ્ધા આર્ય) અને કરણ (ધીરજ કપૂર)ની મુખ્ય જોડીને લોકોએ ખુબ પસંદ કરી છે. તો સાથે સૃષ્ટિ, સમીર અને પૃથ્વીને પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ શોમાં મોટો ટાઇમ લીપ આવતાં કરણ અને પ્રિતા તેમની નવી સફરમાં જોવા મળશે. હવે શોમાં સોનાક્ષીની એન્ટ્રી થઇ રહી છે. સોનાક્ષી કોલેજકાળમાં કરણની ફ્રેન્ડ હતી. સોનાક્ષીનું પાત્ર માનસી શ્રીવાસ્તવ ભજવી રહી છે. માનસીએ કહ્યું હતું કે સોનાક્ષી અને કરણ કોલેજ ફ્રેન્ડ હોય છે અને તેમની વચ્ચે સારી મિત્રતા હોય છે. તે પ્રિતાની પણ ખૂબ જ નિકટ આવે છે. આ પાત્રમાં પોઝિટિવ સાઇડની સાથે એના અન્ય શેડ્સ પણ છે. એને કારણે આ પાત્ર મને ખૂબ જ પસંદ પડ્યું છે. બાલાજી સાથે આ મારો પહેલો શો છે અને આ નવી શરૂઆત કરવા માટે આ શો ખુબ સારો છે. જો કે ૨૦૧૬માં મેં અને ધીરજે સાથે કામ કર્યું હતું.