ફિલ્મ જગત
News of Monday, 5th December 2022

કાજોલે કહ્યું-સારો કૂક પણ છે અજય

અજય દેવગણ અને કાજોલ બોલીવૂડના પ્રેમાળ કપલની યાદીમાં સામેલ છે. અજય દેવગણ તેની ફિલ્‍મ દ્રશ્‍યમ-૨ સુપરહિટ થઇ જવાને કારણે ખુબ ખુશ છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે બોલીવૂડને હાલમાં આવી ત્રણ ચાર દ્રશ્‍યમની જરૂર છે. પત્‍નિ કાજોલ પણ તેની ફિલ્‍મ સલામ વેન્‍કીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્‍મ આગામી શુક્રવારે નવમીએ રિલીઝ થઇ રહી છે. તાજેતરમાં કાજોલ સારેગામાપા લિટલ ચેમ્‍પસ શોમાં ફિલ્‍મના પ્રમોશન માટે પહોંચી હતી ત્‍યારે અજય વિશેની અજાણી વાતો તેણે જણાવી હતી. કાજોલે કહ્યું હતું કે અજયને રસોઇ બનાવવાનું ખુબ ગમે છે. તે કોઈ પણ ડિશ બનાવે તો એ સ્‍વાદિષ્ટ જ બને છે. રસોઇ બનાવવામાં તેને ખુબ મજા આવે છે. પરંતુ તે જ્‍યારે રસોઈ બનાવતો હોય છે ત્‍યારે રસોડાના દરવાજા બંધ કરી દે છે. તે પોતાની રેસિપી કોઈને જણાવતો નથી. સ્‍વાદિષ્‍ટ ખીચડી તેની સ્‍પેશિયાલીટી છે જે મારા માટે બનાવે છે.

(10:31 am IST)