ફિલ્મ જગત
News of Friday, 7th May 2021

એક સમયે નાકની સર્જરી કરાવવા ઇચ્છતી હતી અલાયા

અભિનેત્રી અલાયા ફર્નિચરવાલાએ બોલીવૂડમાં હજુ એક જ ફિલ્મ કરી છે. આમ છતાં તેની ઓળખ બની ચુકી છે. પૂજા બેદીની દિકરી અલાયાએ કહ્યું હતું કે તે એક સમયે પોતાના નાકની કોસ્મેટિક સર્જરી કરવા ઇચ્છતી હતી. પરંતુ પછી આવું કર્યુ નહોતું. અલાયાએ બોલીવૂડમાં સૈફ અલી ખાન અને તબ્બુ જેવા સ્ટાર્સ સાથે કારકિર્દી શરૂ કરી હતી અને બેસ્ટ ડબ્યુ એકટર ફિમેલનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. હજુ સુધી તેની આગામી ફિલ્મનો કોઇ ઘોષણા થઇ નથી. તેની ખુબસુરત તસ્વીરો, વિડીયો સતત સોશિયલ મિડીયા પર પોસ્ટ થતાં રહે છે. તે ચાહકો વધારવામાં સફળ છે. તેને દર્શકો બીજી ફિલ્મમાં જોવા પણ આતુર છે. અલાયાની પહેલી ફિલ્મ જવાની જાનેમન હતી. નિતીન કક્કડની આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. પરંતુ અલાયાનો અભિનય સોૈને ગમ્યો હતો. સૈફ અલી ખાને તેના પિતાનો રોલ નિભાવ્યો હતો. મુંબઇમાં જન્મેલી અલાયાએ ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીમા એકટીંગનો કોર્ષ કર્યો હતો.

(10:03 am IST)