પાર્વતીજીનો રોલ કારકિર્દીમાં ખુબ મહત્વનોઃ આકાંક્ષા
ટીવી પરદે ધાર્મિક શોમાં અગાઉ સીતાજી અને લક્ષ્મીજીની ભુમિકા ભજવી ચુકેલી અભિનેત્રી આકાંક્ષા પુરી હવે ત્રીજી વખત પણ દેવીનો રોલ નિભાવી રહી છે. આ વખતે ટીવી શો વિઘ્નહર્તા ગણેશમાં તે પાર્વતીજીની ભુમિકા ભજવી રહી છે. તે કહે છે મને આ રોલની ઓફર નિર્માતા તરફથી મળતાં મેં ઓડિશન આપ્યું હતું. એ સાથે જ મને પાર્વતીજીના રોલ માટે પસંદ કરી લેવામાં આવી હતી. ગણેશજી મારા પ્રિય છે. આ કારણે આ રોલને હું મારી કારકિર્દીનો ખુબ મહત્વનો રોલ ગણી રહી છું. દેવી સિતા, લક્ષ્મીજી પછી હવે પાર્વતીનો રોલ મળતાં હું અત્યંત ખુશ છું. આ શકિતશાળી દેવીઓને સૌ કોઇ પ્રેમ, આદર અને શ્રધ્ધાથી જુએ છે. હું તો સમજું છે કે આ ત્રણેય દેવીઓ આપણા રોજના જીવનમાં રોલમોડલ સમાન છે. જો કે આ પાત્રો ભજવવા સરળ નથી. આકાંક્ષા કહે છે તમારે આવા રોલ ભજવતી વખતે ખુબ જ જવાબદારી રાખવી પડતી હોય છે. કારણ કે દર્શકોના મનમાં એક ચોક્કસ છાપ હોય છે. તેને ઠેંસ ન પહોંચે તેનો ખ્યાલ રાખવાનો છે. આ કારણે હું આવા રોલમાં ખુબ સાવધ રહીને કામ કરુ છું.