ફિલ્મ જગત
News of Monday, 7th September 2020

થ્રિલર ફિલ્મમાં યામીને મુખ્ય રોલ

અભિનેત્રી યામી ગોૈતમ પણ લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર છે. હવે તેને નવી ફિલ્મ મળી ગઇ છે. લેખક અને નિર્દેશક બેહજાદ ખંભાતાની થ્રિલર ફિલ્મ 'એ થર્સડે'માં યામી મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. નયના જયસ્વાલના રોલમાં તે જોવા મળવાની છે. નયના એક પ્લે હાઉસમાં બુધ્ધીશાળી શિક્ષીકા છે. ગુરૂવારના એક દિવસ સ્કૂલમાં સોળ બાળકોને બંધક બનાવી નયના બધાને સ્તબ્ધ કરી મુકે છે. ઘટના નિયંત્રણની બહાર જતી રહે છે. લોકો અને મિડીયા આ કૃત્યને જધન્ય અપરાધ ગણાવવા માંડે છે. સંભવીત કારણો ઉપર પણ અનેક સવાલો થવા માંડે છે. ખરેખર સાચુ શું હોય છે? શું શિક્ષીકા નયનાએ જ બાળકોને બંધક બનાવ્યા હતાં કે પછી કંઇક બીજી જ ચોંકાવનારી ઘટના બની હતી? આ કહાની જોવા મળશે ફિલ્મ 'એ-થર્સડે'માં. યામીએ કહ્યું હતું કે આ ફિલ્મનો રોલ મને મળતાં હું ઉત્સાહિત છું. આ એવી સ્ક્રિપ્ટ છે જેને કોઇ ઠુકરાવી ન શકે. મહિલા નાયકનું સોૈથી મજબુત પાત્ર મને મળ્યું છે. નિર્માતા રોની સ્ક્રુવાલા સાથે ફરીથી કામ કરવાની મને તક મળી છે. આ ફિલ્મ આવતા વર્ષે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

(9:58 am IST)