'કસોટી જિંદગી કી -2'ના દર્શકો માટે માઠા સમાચાર: આવતા મહિને બંધ થશે શો
મુંબઈ: ટીવીના લોકપ્રિય શો કસૌતી જિંદગી કી 2 ના ચાહકો માટે આ ખરાબ સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓએ શોને બંધ કરવાનું નક્કી કર્યું છે. શોના અંતિમ એપિસોડ ઓક્ટોબરમાં ટેલિકાસ્ટ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ શોની જગ્યાએ 'સાથ નિભાના સાથિયા' લેવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેટલાક કલાકારોને આ વિશે માહિતી આપવામાં આવી છે. તેમાં એરિકા અને પાર્થ પણ શામેલ છે. તે ગત રવિવારે જણાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાકીના કાસ્ટ અને ક્રૂને આગામી બે-ત્રણમાં દિવસમાં જાણ કરવામાં આવશે. શોને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા, જ્યારે તેમને ખબર પડી કે પાર્થ શોને અલવિદા નથી કહી રહ્યા. પાર્થ શૂટિંગના સેટ પર સતત આવી રહ્યો હતો. ઘણા કલાકારો તેમના દ્રશ્યોની રિહર્સલ પણ કરી રહ્યા હતા.