ફિલ્મ જગત
News of Monday, 7th September 2020

ટીવી સિરિયલ ' ભાભીજી ઘર પર હૈં' ના નિર્માતા સંજય કોહલીને કોરોના વળગ્યો

હોમ કોરન્ટાઈન થઈ ઘરમાં જ લઈ રહ્યા છે સારવાર

મુંબઈ : કોરોના વાયરસનો કહેર વધતો જાય છે અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોનાનો શિકાર બન્યા છે. તાજેતરમાં  અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હવે લોકપ્રિય ટીવી સીરીયલ 'ભાભીજી ઘર પર હૈં' ના નિર્માતા સંજય કોહલીને કોરોના વળગ્યો છે તેઓને ઘરમાં સારવાર આપવામાં આવી રહી છે.

 મીડિયા સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું કે, હા, હું કોરોના પોઝિટીવ આવ્યો છું. મારા ડોકટરો અને અધિકારીઓની સલાહને અનુસરીને મેં ઘરે અલગ રહેવાનું નક્કી કર્યુ છે, છેલ્લા કેટલાક દિવસોમાં, મેં મારી આસપાસ રહેતા તમામ લોકોને ટેસ્ટ કરવા વિનંતી કરી છે. હું તે બધા લોકોનો આભારી છું કે જેઓ આ વૈશ્વિક રોગચાળા દરમિયાન ફ્રન્ટલાઈન પર લડી રહ્યા છે. હું પ્રાર્થના કરું છું કે માનવતા આ વાયરસથી વહેલી તકે સ્વસ્થ થાય.

(9:31 pm IST)