ફરીથી ટીવી પરદે આવી રહી છે રતન
ટીવી પરદા પર એક સમયે પોતાના નામનો ડંકો વગાડી દેનારી અને અસંખ્ય ચાહકોમાં પોતાના પ્રત્યે પ્રેમ જગાડનારી અભિનેત્રી રતન રાજપૂત ફરીથી ટીવી પરદે આવવા તૈયાર છે. રતન એન્ડ ટીવી પરના શો 'સંતોષી મા સુનાએ વ્રત કથાએ'માં ફરીથી કામ કરી રહી છે. અગાઉની પહેલી સિઝનમાં પણ રતને જ મુખ્ય ભુમિકા નિભાવી હતી. રતને પોતાના પાત્ર બાબતે કહ્યું હતું કે હું સંતોષી માતાનો અંશ છું અને માત્ર સ્વાતિને મદદ કરવા આવી છું. સ્વાતિ સંતોષી માતાજીની ભકિત છે. હવે પછીના શોમાં દેવીમા અને ભકતો વચ્ચેના સંબંધની વાત હશે. માતાજી કેવી રીતે ભકતોને મદદ કરવા રસ્તાઓ કાઢે છે તે જોવા મળશે. રતન રાજપૂત લોકડાઉનમાં પોતાના ગામડે જતી રહી હતી. તેની પાસે ઘણું કામ હોવા છતાં પરદેથી દૂર રહેવું પડ્યું હતું. એ સમયમાં તેણે પિતા પણ ગુમાવ્યા છે. બિહારના નાનકડા એવા ગામમાં એકલી રહીને પણ તે સફળતા પુર્વક જીવન જીવી પાછી આવી છે. તે કહે છે સંતોષી માતાજીની સિરીયલ સાથે કામની શરૂઆત થાય તેનાથી મોટી વાત બીજી શું હોઇ શકે.