હું નહોતી ઇચ્છતી મારા પરિવારજનો જોખમમાં મુકાયઃ પ્રગતિ મેહરા
લોકપ્રિય ટીવી સિરીયલની કહાનીને લીપ આપી આગળ વધારી દેવામાં આવતાં નવા કલાકારોનો પણ ઉમેરો થયો છે. જેમાં એક કલાકાર પ્રગતિ મેહરા પણ છે. પ્રગતિ એક વર્ષ પછી ફરીથી કામકરવા તૈયાર થઇ છે. તે કહે છે કોરોનાના કહેરનેકારણે હું ઘરમાં જ હતી. હું ઇચ્છતી નહોતી કે મારા કારણે મારો પરિવાર જોખમમાં મુકાય. આ શો બાર વર્ષથી ચાલી રહ્યો છે. તે શરૂ થયા પછી આઠ વર્ષ ચાલ્યો, ત્યારબાદ લીપ આવ્યા પછી પણ ચાર વર્ષથી ચાલે છે. હજુ પણ આ શો સતત સારો જ ચાલશે તેની મને ખાત્રી છે. આ શોના લેખકો દરેક એપિસોડને ખુબ રસપ્રદ રીતે રજૂ કરે છે. આ કારણે જ દર્શકોનો રસ તેમાં જળવાઇ રહ્યો છે.
પ્રગતિ હાલમાં સિંગલ છે તે કહે છે હું એક તબક્કે ત્રણ વર્ષ સુધી રિલેશનશીપમાં હતી. મને લાગ્યું કે જો હું તેની સાથે લગ્ન કરીશ તો લાંબુ ટકશે નહિ એથી અમે ત્યાં જ અટકી ગયા હતાં. હું એક તબક્કે પરણીને સાસરિયાની જવાબદારી લેવા તૈયાર નહોતી. હું લગ્ન કરવા તૈયાર છું, પરંતુ મારા કામના ભોગે અને વિચારસરણીના ભોગે નહિ.