ફરી એકવાર સાથે જોવા મળશે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ
મુંબઈ: બોલિવૂડ ફિલ્મ નિર્દેશક કરણ જોહર ફરી એકવાર દિગ્દર્શનની દિશામાં આગળ વધી રહ્યો છે. આ અઘોષિત પ્રોજેક્ટ માટે કરણે મનપસંદ કલાકારો રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટને પણ કાસ્ટ કર્યા છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 'ગલી બોય' જેવી હિટ ફિલ્મો આપનાર રણવીર અને આલિયાની જોડીએ ઘણી એડ ફિલ્મો પણ કરી હતી. દર્શકો રણવીર અને આલિયાની જોડીને એટલો પસંદ કરે છે કે તેમની બંને એડ ફિલ્મ્સની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ અહેવાલ છે કે કરણ જોહર આ પ્રોજેક્ટથી લાંબા સમય બાદ ફિલ્મ નિર્દેશની દુનિયામાં પાછા ફરવા જઇ રહ્યો છે. રણવીર અને આલિયાની તેની પસંદની જોડી સાથે તે દિશામાં પાછા ફરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.