ગુણવત્તા પર વધુ ધ્યાન આપ્યું: સોમ્યા
અભિનેત્રી સૌમ્યા ટંડને ટીવી પરદે ભાભીજી ઘર પર હૈ શોમાં રોલ નિભાવી ઘર ઘરમાં અનોખુ સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેણે જ્યારે આ શો છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે માત્ર દર્શકો જ નહીં તેના અસંખ્ય ચાહકો, ફોલોઅર્સ અને ટીવીના અનેક માંધાતાને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. આમ છતાં તેણે એવું કારણ આપ્યું હતું કે એ જે કંઈ અત્યારે કરે છે તેનાથી ઘણી આગળ જવા ઇચ્છે છે. સોૈમ્યા કહે છે મને ઘણી બધી ઓફર્સ અને તકો મળી છે અને તે પણ શો છોડયા પછી. પણ હું તેને જાહેર કરી નહીં શકું. મેં એમાંથી એકેય ઓફર સ્વીકારી નથી કેમ કે તેમાંની ઘણીબધી તો એકસરખી જ હતી અથવા તો તેમાં કશુંય નહોતું. મને સારા નાણાંની પણ ઓફર કરી હતી, પણ આ તબક્કે અને મારી કારકિર્દીના આ સમયે મેં ગુણવત્તા પર વધુ ધ્યાન આપ્યું છે. સોૈમ્યાને લખવાનો પણ ઘણો શોખ છે. તે હાલમાં તેને મળેલા સમયમાં પોતાનો આ શોખ પુરો કરી રહી છે. તેણે એક સંગીતકારનો સહયોગ લઇ ગીત પણ લખ્યું છે.