ફિલ્મ જગત
News of Wednesday, 14th April 2021

ટાસ્કફોર્સ અધિકારીના રોલમાં અક્ષય ખન્ના

વાસ્તવીક અને પ્રેરણાદાયી કહાનીઓ આપવા માટે ઝીફાઇવ ડિજીટલ પ્લેટફોર્મ જાણીતું છે. અગાઉ સીઝ ઓફ સ્ટેટ-૨૬/૧૧ જેવી સફળ સિરીઝ આવી હતી. હવે વધુ એક આવી સિરીઝ સ્ટેટ ઓફ સીઝ-ટેમ્પલ એટેક આવી રહી છે. આ સિરીઝથી અભિનેતા અક્ષય ખન્ના પણ ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. તેને ટાસ્કફોર્સ અધિકારીનો રોલ અપાયો છે. અક્ષયએ કહ્યું હતું કે પરમ બલિદાનના શપથ લીધા વગર વર્દી પહેરવામાં સક્ષમ હોવું એ માત્ર એક અભિનેતા જ કરી શકે છે. સિરીઝ નિર્માણ વખતે મારું ધ્યાન સતત એ વાત પર હતું કે હું વરદીનું સતત સન્માન કરતો રહું. આ સિરીઝ ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલા પર આધારીત છે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨માં ભિષણ હુમલામાં ત્રીસ લોકોનો જીવ ગયો હતો અને એંસીથી વધુ ઘાયલ થયા હતાં. એ વખતે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતાં અને પરિસ્થિતિ સંભાળી આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

(10:09 am IST)