ફરી વખત આવી રહ્યો છે કોમેડી શો
આગામી સમયમાં ઝી ટીવી પર કોમેડી શો શરૂ થઇ રહ્યો છે. કોમેડી સર્કસ નામના આ શોમાં ધ કપિલ શર્મા શોમાં દેખાયેલા અલી અસગર અને સુગંધા મિશ્રા પણ દેખાઈ શકે છે. અલી અને સુગંધા સાથે, ટીવી અને ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા ચહેરાઓ આ શોમાં સામેલ થવાની શકયતા છે. જેમાં રાજપાલ યાદવ, બલરાજ સિયલ અને ગૌરવ દુબે શોના મુખ્ય કોમેડિયન હશે. ઉપરાંત બોલીવુડ કલાકારો શ્રેયસ તલપડે, પુનીત પાઠક, શ્વેતા તિવારી, જસ્મિન ભસીન અને આદિત્ય નારાયણ આ હાસ્ય કલાકારો સાથે સ્ટેજ પર પરફોર્મ કરશે. આ શોનું ફોર્મેટ થોડા વર્ષો પહેલા સોની ટીવી પર પ્રસારિત થયેલ કોમેડી સર્કસ જેવું જ હશે. એક હાસ્ય કલાકાર શોમાં એક અભિનેતા સાથે જોડી બનાવવામાં આવશે. આ જોડીએ તેના અભિનયને સ્ટેજ પર રજૂ કરવાનો રહેશે. ૨૧ મી તારીખે આ શો શરૂ થશે અને દર શનિવાર અને રવિવારે રાત્રે દસ વાગ્યે પ્રસારીત કરવામાં આવશે. શોના નિર્માતાને લાગે છે કે હાલના સમયમાં લોકોના ચહેરા પરની ખોવાયેલી સ્મિત આ શો પાછી લાવી શકશે.