ગુરદિપ કોહલી હવે નેગેટિવ ભુમિકામાં
અભિનેત્રી ગુરદિપ કોહલી હવે નેગેટિવ ભુમિકામાં જોવા મળી છે. સોની ટીવીના શો કયોં ઉત્થે દિલ છોડ આયેમાં અમૃત એટલે કે ગ્રેસી ગોસ્વામી અને રણધીર એટલે કે જાન ખાનની કહાની વચ્ચે ગુરદિપ કોહલીની એન્ટ્રી થઇ છે. ગુરદિપ આ વખતે નેગેટિવ ભુમિકા નિભાવી રહી છે. કાવેરી પ્રતાપસિ઼હ બનીને તેણે શોમાં એન્ટ્રી કરી છે. તે વીર એટલે કે કૃણાલ જયસિંહના મોત પછી અમૃત અને રણધીરની જિંદગીમાં ખલનાયિકા બનીને આવી છે. આ કહાનીમાં ગુરદિપના પાત્રની એન્ટ્રી સાથે શોમાં જબરદસ્ત વળાંક આવશે. ગુરદીપ કોહલીએ કહ્યું હતું કે કાવેરીનો રોલ નિભાવવા હું ખુબ જ ઉત્સાહિત છું. આ મારા માટે અનોખો અને પડકારરૂપ રોલ છે. કારણ કે આ ગ્રે શેડ છે. મને જેટલી મજા આ પાત્રનું શુટીંગ કરવામાં આવી છે તેના કરતાં વધુ મજા દર્શકોને આવશે.