શાઇની માટે સરળ બની રહ્યું ધરાનું પાત્ર
ટીવી પરદે નવા શરૂ થયેલા શો પંડ્યા સ્ટોરમાં ધરાનું પાત્ર અભિનેત્રી શાઇની દોશી નિભાવી રહી છે. તે કહે છે ધરાનું પાત્ર એકદમ સાદુ છે, એમાં કોઇ ભારેખમ એકટીંગ નથી. એ મળતાવડી છે અને ઉદાર પણ છે, સાથોસાથ ખુબ હોંશીયાર પણ છે. શાઇની દોશી અગાઉ ટીવી શો સરસ્વતિચંદ્રમાં પણ પોતાના અભિનય થકી ઓળખ બનાવવામાં સફળ રહી હતી. ધરાના પાત્ર વિશે તે કહે છે ધરા પરિવારની ખુશી માટે બલિદાન આપે છે આ વાત દર્શકોને ખુબ સ્પર્શી જાય તેવી છે. ધરા ઉપરાંત ગોૈતમના પાત્ર પર પણ ખુબ જીણવટથી કામ કરાયું છે. શાઇની કહે છે અગાઉ અમે જે ટીવી શો કર્યા છે તેમાં કોઇ ખાસ વર્કશોપ નહોતાં. આ શો માટે અમને દેવેન ભોજાણીએ વર્કશોપ યોજી ખુબ માર્ગદર્શન આપ્યું હતું. શાઇની પોતે ગુજરાતી છે એટલે ધરા પંડ્યાનું પાત્ર ભજવવું તેના માટે વધુ સરળ રહ્યું છે.