ફિલ્મ જગત
News of Wednesday, 15th June 2022

પરિવાર-મિત્રોએ ત્‍યારે ખુબ સહકાર આપ્‍યો હતોઃ નુસરત

અભિનેત્રી નુસરત ભરૂચાની નામના હવે ટોચની એક્‍ટર્સમાં થવા માંડી છે. તેણે ખુબ મહેનત કરીને આ સ્‍થાન મેળવ્‍યું છે. આ કારણે જ હવે તેની પાસે કામની ઘટ નથી. હાલમાં ઉજળી કારકિર્દી ધરાવતી નુસરતે તાજેતરમાં કહ્યં હતું કે એક સમયે હું પણ ડિપ્રેશનનો ભોગ બની ગઇ હતી. જો કે પરિવારજનોએ એ વખતે મને જે ટેકો આપ્‍યો હતો તેના કારણે હું તેમાંથી બહાર આવી શકી હતી. તેમના સહયોગ વગર બહાર આવવું શક્‍ય નહોતું. મારો પરિવાર અને મારા મિત્રો મોૈનમાં પણ મારી સાથે રહે છે. ડિપ્રેશનમાંથી મને બહાર લાવવામાં મિત્રો પણ એટલા જ મદદરૂપ થયા હતાં. તેઓ રોજ મને વિશ્વાસ અપાવતા હતાં કે સમય આવ્‍યે સ્‍થિતિ સુધરી જશે. તેમના આ વિશ્વાસ પર હું આગળ વધતી રહી અને ડિપ્રેશનને માત આપી શકી હતી. નુસરત કહે છે કે અગાઉ મને લોકો કહેતા કે તુ મુખ્‍ય ભુમિકા ન ભજવી શકે, તુ સહકલાકાર જ બની શકે. પરંતુ આજે જે પરિસ્‍થિતિ છે તેનાથી હું સંતુષ્‍ટ છું. હાલમાં જ નુસરતથી જન હિત મેં જારી ફિલ્‍મ આવી છે.

(10:05 am IST)