ફિલ્મ જગત
News of Wednesday, 15th September 2021

નતાશા ભારદ્વાજનું દિલચશ્પ પાત્ર

વેબ સિરીઝ મુંબઇ ડાયરીઝ-૨૬/૧૧ રિલીઝ થઇ ચુકી છે. મુંબઇમાં ૨૦૦૮માં  બનેલી હુમલાની ઘટનાઓનું વર્ણન છે. નિખીલ અડવાણીની આ સિરીઝમાં ફ્રન્ટલાઇન વર્કર્સની કહાની પણ છે. અભિનેત્રી નતાશા ભારદ્વાજને મહત્વપુર્ણ ભુમિકા મળી છે. ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટારની વિજેતા રહી ચુકેલી નતાશાના કામને લોકોએ પસંદ કર્યુ છે. તે પોતાના અભિનય અને વ્યકિતત્વ એમ બંને રીતે પ્રભાવીત કરે છે. આ સિરીઝમાં નતાશાએ રેસિડેન્ટ ડોકટરનો રોલ નિભાવ્યો છે. તે કહે છે મેં ઓડિશન આપ્યું ત્યારે મને ભુમિકાની જાણ કરાઇ હતી. આ એવો રોલ હતો જેને હું મારા હાથમાંથી જવા દેવા ઇચ્છતી નહોતી. આ ખરેખર દિલચશ્પ પાત્ર છે. મને હતું કે કદાચ આ ભુમિકા માટે મારી પસંદગી નહિ થાય. પરંતુ મને અંતે રોલ મળી ગયો હતો. આ રોલ મને મળતાં જ મેં મારી મા પાસે જઇ તેનો લેબ કોટ અને સ્ટેથોસ્કોપ લઇ લીધા હતાં.

(9:51 am IST)