ફિલ્મ જગત
News of Tuesday, 16th February 2021

અભિનેતા સંદિપ નાહરેએ બોલિવૂડની અનેક ફિલ્‍મોમાં કામ કર્યુ હતુઃ ભૂમિકા ભલે નાની હોય પરંતુ તે યાદગાર ભૂમિકા માટે જાણીતો હતો

મુંબઇઃ બોલીવુડ અભિનેતા સંદીપ નાહરની આત્મહત્યાના સમાચારે ફરીથી એકવાર લોકોને શોક આપ્યો છે. સંદીપે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'એમ એસ ધોની: અનટોલ્ડ સ્ટોરી' અને અક્ષયકુમારની ફિલ્મ 'કેસરી'માં કામ કર્યું હતું. સંદીપ નાહરની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોતા એવું લાગે છે કે તે ખુબ જિંદાદીલ વ્યક્તિ હતો. સંદીપે આત્મહત્યા કરતા પહેલા તેણે ફેસબુક પર લાઈવ કરીને પોતાની કહાની લોકો સાથે શેર કરી હતી અને સ્યૂસાઈડ નોટ પણ લખી. સ્યૂસાઈડ નોટમાં તેણે લખ્યું કે તે પત્ની અને સાસુના કારણે જીવ આપી રહ્યો છે.

સંદીપ નાહરે બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી હતી. તેણે ભજવેલી ભૂમિકા ભલે નાની હોય પરંતુ તે યાદગાર ભૂમિકા માટે જાણીતો હતો.

ઈન્સ્ટાગ્રામ પર અનેક એવી તસવીરો છે જે તેની સફળતાની કહાની રજુ કરે છે.

મંગળવારે સંદીપે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં કથિત આત્મહત્યા કરતા લોકો આઘાતમાં સરી પડ્યા છે. સંદીપે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર લગભગ 10 મિનિટનો એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો.

વીડિયો અને એક સ્યૂસાઈડ નોટમાં તેણે પત્ની અને સાસુ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ પર સંદીપ નાહર ખુબ એક્ટિવ હતો અને તેના લગભગ 34 હજાર જેટલા ફોલોઅર્સ હતા. તેણે કુલ 403 પોસ્ટ કરી હતી. જ્યારે 364 લોકોને તે ફોલો કરતો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સંદીપ કેસરી અને એમ એસ ધોની: અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત કેટલાક ટીવી શો તથા ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે.

સંદીપની પ્રોફાઈલ પર નજર ફેરવીએ તો ખબર પડે છે કે તે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ નજીક હતો. રિયાના જન્મદિવસે તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

સુશાંતના મોત પર સંદીપ ખુબ દુખી હતો. તેણે સુશાંતની સાથેના પોતાના એક ઈમોશનલ સીનને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

(5:37 pm IST)