સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો પ્રયાસ કરુ છું: શાહબાઝ ખાન
અભિનેતા શાહબાઝ ખાન ઘણા સમય પછી ફરી ટીવી પરદે આવ્યો છે. આ વખતે તે ટીવી શો યે રિશ્તા કયા કહેલાતા હૈ સાથે જોડાયો છે. તે કહે છે આ ખુબ લોકપ્રિય શો છે અને ખુબ મોટા પ્રમાણમાં ચાહકો તેને જોઇ રહ્યા છે. હું કોઇપણ શોમાં અભિનેતા તરીકે પ્રવેશ કરું છું તો મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરુ છું. દરેક પાત્ર સાથે હું રચનાત્મક સ્પર્શ જોડવાનો પ્રયાસ કરુ છું. આ શોમાં મોટો પડકાર એ છે કે સ્થાપિત પાત્રોની વચ્ચે મારે એક નવા કલાકાર તરીકે ઓળખ ઉભી કરવાની છે. હાલના મહામારીમાં લોકડાઉનના સમય વિશે શાહબાઝે કહ્યું હતું કે દરેક ભારતીયનું સાહસ અને તાકત એ મારી આશાનું કિરણ છે. હું એ લોકો સાથે સતત જોડાયેલો છું જેમણે મહામારીમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. કોવિડના નિયમોનું પાલન કરીને શુટીંગ કરવાનું કલાકાર તરીકે જરાપણ અપ્રિય લાગતું નથી. તે કહે છે નિયમોનું પાલન બધાએ ફરજીયાત કરવું જ પડશે. હું સતત સારી ભુમિકાઓની શોધમાં રહુ છું.