પરિક્ષામાંથી બહાર આવવું પડે છેઃ કરિશ્મા તન્ના
અભિનેત્રી કરિશ્મા તન્ના ટીવી પરદાની સોૈથી ખુબસુરત અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. તે કહે છે આ ઇન્ડસ્ટ્રીમાં ચડતી-પડતી આવતી રહે છે. પરંતુ નિષ્ફળતામાં નિરાશ નહિ થવાનું અને સફળતામાં છકી નહિ જવાનું મારા મમ્મીએ મને શીખવ્યું છે અને તેના આશિર્વાદ મારી સાથે હમેંશા છે. ટીવી પરદે સફળતા મેળવી ફિલ્મોના પરદા સુધી પહોંચેલી કરિશ્મા તન્નાએ કયોં કી સાસ ભી કભી બહુ થી, કયામત કી રાત, નાગિન-૩ સહિતના શોમાં કામ કરી ખુબ નામના મેળવી છે. વર્ષ ૨૦૦૫માં તેણે ફિલ્મ દોસ્તી-ફ્રેન્ડ્સ ફોરએવરથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ પછી ગ્રાન્ડ મસ્તીમાં કામ કર્યુ હતું. તેની સંજય દત્ત અને વિવેક ઓબેરોય સાથેની ફિલ્મ ચાલુ જ થઇ શકી નહોતી. સની લિયોની સાથેની એક ફિલ્મનું પણ આવુ જ થયું હતું. આ કારણે કરિશ્મા દુઃખી થઇ હતી. પણ પછી સકારાત્મક અભિગમ અપનાવી આગળ વધી. સંજુમાં તેને નાનો પણ ખુબ મહત્વનો રોલ મળ્યો હતો. હાલમાં તે વેબ સિરીઝમાં કામ કરી રહી છે. તે કહે છે અહિ તમારી પરિક્ષા થતી રહે છે. તમારે તેમાંથી બહાર આવવું પડે છે.