સાઇકોલોજીનો અભ્યાસ કરવો છે રતન રાજપૂતને
ટીવી પરદે જાણીતી બનેલી અભિનેત્રી રતન રાજપૂત હાલમાં ટીવી પરદે પાછી ફરવા મહેનત કરી રહી છે. તેણે રાધા કી બેટિયાં કુછ કર દિખાયેંગી અને સંતોષી મા સહિતના શોમાં કામ કર્યુ હતું. હાલમાં તેના હાથ પર અમુક પ્રોજેકટ છે. રતનને સાઇકોલોજી વિષયમાં ખુબ રસ છે. તે કહે છે મેં વિવિધ બાબતો શીખવા માટે આ સમયનો ઉપયોગ કર્યો છે. હું મારો સાઇકોલોજીનો કોર્સ પૂર્ણ કરવા ઇચ્છું છું અને તેનાથી મને ઘણો આનંદ મળશે. રિયાલિટી શો તેણે નથી કર્યા એનું કોઇ દુઃખ તેને નથી, પણ આનાથી તેની એકિંટગ કેરિયર પર તેની જબરદસ્ત અસર પડી હોત, એવું તેનું માનવું છે. એક રિયાલીટી શો રતન કા રિશ્તા અંગે પણ તેની ઘણી ટીકા થઇ હતી. અભિનવ શર્મા અને મારી સગાઈ થઈ એ પછી મેં કામમાંથી એક વર્ષ બ્રેક લીધો અને એ પણ અમારી રિલેશનશિપ માટે. પણ કમનસીબે એ કંઈ બધુ સમુસુતરુ પાર ઉતર્યુ નહોતું અને અમે સમજુતીથી છુટા પડ્યા હતાં.