કંઇ ખરીદવા કરતાં બીજાને મદદ કરોઃ ઉત્કર્ષા નાયક
ટીવી પરદે હાલમાં સિરીયલ પ્રેમબંધનમાં અભિનય કરી રહેલી અભિનેત્રી ઉત્કર્ષા નાઇકે આ વર્ષની અખા ત્રીજના શુભ મુહુર્તમાં કંઇપણ નહિ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ઉત્કર્ષાએ કહ્યું હતું કે અક્ષય તૃતિયા એ એવો દિવસ છે જે મુખ્ય સાડાત્રણ મુહુર્તમાંથી એક છે. આ દિવસે તમે કોઇપણ શુભ કામ શરૂ કરી શકો છો. મારા દાદીમા આ દિવસનું મહત્વ સમજાવતાં હતાં. નવી કાર, નવી સંપતિ ખરીદી શકો છો અથવા નવા વેપાર ધંધાની પણ શરૂઆત આ દિવસે મુહુર્ત જોયા વગર કરી શકો છો. જો કે હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્કર્ષાએ કોઇ ખરીદી કરી નથી. તેમજ કોઇ નવુ કામ શરૂ કર્યુ નથી. તેણે હાલના દિવસોમાં ઘરમાં રહેવા અને બીજાને મદદ કરવાનો અનુરોધ કર્યો હતો. જો તમે ખરેખર ખરીદી કરવા ઇચ્છતા જ હો તો ઓનલાઇન જરૂરીયાત મુજબની ખરીદી કરી શકો છો. પણ હું તો એમ કહીશ કે આના કરતાં તમે ખુબ જરૂરીયાતમંદ હોય તેમની મદદ કરો એ વધુ સારુ ગણાશે. આ ઉપરાંત હું બધાને વેકસીન મુકાવી લેવા પણ ખાસ અનુરોધ કરુ છું.