ફિલ્મ ‘આશિકી'ની અભિનેત્રી અનુ અગ્રવાલ ઇન્ડિયન આઇડલના સેટ પર પહોંચતા દર્શકો ઝુમી ઉઠયાઃ તાળીઓ પાડી સ્વાગત કર્યુ
મારા શબ્દોના મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવતા નથી, જેતી હું ઘણી જ દુઃખી છું, શો સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે મને પ્રેમ છેઃ અનુ અગ્રવાલ
મુંબઇઃ રિયાલીટી શો ઇન્ડિયન આઇડલના સેટ પર આશિકીની અભિનેત્રી અનુ અગ્રવાલ અને અભિનેતા રાહુલ રોય પહોંચતા પ્રેક્ષકોએ તાળીઓથી સ્વાગત કર્યુ હતુ. અનુ અગ્રવાલે જણાવ્યું કે, મેં શોમાં પ્રેરણાદાયી મેસેજ આપ્યા તે લોકો સુધી પહોંચાડવામાં આવતા નથી આથી હું દુઃખી છું.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથો-સાથ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ એટલી જ ચર્ચામાં રહે છે. ટીવી શો ના માધ્યમથી કલાકારો કરોડો લોકો સુધી પહોંચે છે. ત્યારે ટીઆરપી વધારવાના ચક્કરમાં કોઈકને કોઈક ગતકડા કરતા રહે છે. એવામાં ટીવીમાં ચાલતા રીયાલિટી શો ના કારણે ટીઆરપીમાં ભારે ઉછાળો આવતો હોવાથી આવા શો માં હંમેશા કોઈકને કોઈક વિવાદ ઉભો કરવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં જ રિયાલિટી શો ઈન્ડ્યિન આઈડલને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મહેશ ભટ્ટીની સુપરહીટ ફિલ્મ આશિકીની જોડી આ શો ના સેટ પર આવી હતી. રાહુલ રોય અને અનુ અગ્રવાલને જોઈને દર્શકો પણ જુમી ઉઠ્યાં હતાં. પણ એના પછી જે થયું એનાથી એક નવી બબાલ ઉભી થઈ.
અનુ અગ્રવાલે મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'સાચું કહું તો હું ઘણી જ દુઃખી છું. મેં શોમાં જે પણ કહ્યું તે પ્રેરણાદાયી હતું, પરંતુ લોકો સુધી આ મેસેજ પહોંચ્યો જ નહીં. મને મારી ચિંતા નથી, પરંતુ મારા શબ્દો બતાવવામાં ના આવ્યા તે વાતની પરવા છે. અમે લોકો પાસેથી પ્રેરણા લઈએ છીએ, આપણે તમામ હીરો છીએ. હું આ માટે કોઈને જવાબદાર ઠેરવવા માગતી નથી. મારા મનમાં શો સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે પ્રેમ છે.'
અનુએ વધુમાં કહ્યું હતું કે તે જ્યારે સ્ટેજ પર આવી તો લોકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું હતું. તે દર્શકોના પ્રેમથી ખુશ થઈ ગઈ હતી. તે આ સમયે ભગવાન અંગે વિચારતી હતી. કુમાર સાનુએ પણ તાળી પાડી અને તમામ લોકો ઊભા થઈ ગયા હતા. આ બધા જ સીન્સ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. તે ડિફેન્સિવ ઝોનમાં જવા માગતી નથી. ચેનલને બ્લેમ કરવાની તેની ઈચ્છા નથી. તે સેલ્ફ મેડ તથા સેલ્ફ હીલ ગર્લ છે. તેના માટે યુવતીઓને મોટિવેટ કરવી જરૂરી છે.