રીના કપૂરને મળ્યો મુખ્ય રોલ
અનેક જાણીતા ટીવી શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રીના કપૂર હવે નવા શો રંજૂ કી બેટીયામાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. રાજશ્રી પ્રોડકશનના શો વો રહને વાલી મહેલો કી શોમાં રાણી, પરી જેવા પાત્રો ભજવી લોકપ્રિય થયેલી રીનાએ ધાર્મિક શો રાધાક્રિષ્ના, જય ગંગા મૈયા અને વિષ્ણુ પુરાણમાં પણ મહત્વના રોલ ભજવ્યા છે. રજુ કી બેટીયામાં રંજુનો રોલ રીનાને મળ્યો છે. રીનાએ શોની કહાની વિશે જણાવ્યું હતું કે રંજુને ચાર દિકરીઓ છે. તે ચારેયને ઉછેરીને મોટી કરે છે. આ એક રૂટીન મુજબની લવસ્ટોરી માત્ર નથી. પરિસ્થિતિને અનુરૂપ આગળ વધતી કહાની છે. ભારતના લગભગ દરેક ઘરમાં ભજવાતી વાર્તા આ શોમાં છે. રંજુનો પતિ તેને છોડીને જતો રહ્યો છે. ત્યાર પછી તે એક પુરૂષની જેમ ચાર ચાર દિકરીઓને એકલા હાથે ઉછેરે છે. એક વર્ષના લાંબા ગાળા પછી શુટીંગમાં પરત આવીને રીના ખુશ છે. આ સિરીયલનું શુટીંગ ગુજરાતના રાજપીપળામાં થયું છે. રીનાને અહિ શુટીંગ કરવામાં ખુબ મજા આવી હતી.