આમિર ખાને 'ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ'માં લીધો ભાગ
મુંબઈ: લોકપ્રિય અભિનેતા આમિર ખાને રવિવારે હૈદરાબાદમાં વૃક્ષારોપણ કરીને 'ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ'માં ભાગ લીધો હતો. અભિનેતા, હાલમાં હૈદરાબાદના પ્રવાસે છે, બેગમપેટના જૂના એરપોર્ટ પર ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લીધો હતો.'લાલ સિંહ ચઢ્ઢા"ના મુખ્ય અભિનેતાએ તેમના સહ-કલાકાર નાગા ચૈતન્ય અને રાજ્યસભાના સાંસદ જોગીનપલ્લી સંતોષ કુમાર સાથે રોપા રોપ્યા.આમિર ખાને ગ્રીન ઇન્ડિયા ચેલેન્જને આગળ વધારવામાં સંતોષ કુમારના પ્રયાસોની પ્રશંસા કરી અને લોકોને વૃક્ષારોપણમાં સક્રિયપણે ભાગ લેવા આગળ આવવાની અપીલ કરી.અભિનેતાએ કહ્યું કે તેણે ઘણા પડકારો જોયા છે પરંતુ હરિયાળી સુધારવા માટે ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ મુખ્ય ચાલક બની ગયો છે. આ કાર્યક્રમમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જના પ્રતિનિધિઓ રામ મોહન અને રાઘવ પણ હાજર હતા.