દર્શકોને આ ફિલ્મ સિનેમાઘર સુધી ખેંચી લાવશેઃ અજય
એકશન હીરોથી અભિનય કારકિર્દી શરૂ કરનારા અજય દેવગણે કોમેડી, રોમાન્ટીક અને બીજા ગંભીર પ્રકારના પાત્રો પણ ભજવ્યા છે. અજય દેવગણ વધુ એક વખત કોમેડી ફિલ્મ કરવા જઇ રહ્યો છે. કોરોનાને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વર્ષ પછી શરૂ થયેલા કામ ફરીથી ધીમા પડી ગયા છે અથવા તો બંધ થઇ ગયા છે. દરમિયાન અજયએ નિર્માતા સિધ્ધાર્થ રોય કપૂર સાથે હાથ મિલાવી કોમેડી ડ્રામા ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ છે.
આ ફિલ્મનું નામ ગોબર રખાયું છે. જેનું નિર્દેશન સબલ શેખાવતને સોંપાયું છે. આ વર્ષના અંતમાં શુટીંગ શરૂ થશે. અજયએ કહ્યું હતું કે ફિલ્મની કહાની ભરપુર મનોરંજક, અનોખી અને મજેદાર છે. મને વિશ્વાસ છે કે દર્શકોને આ ફિલ્મ ચોક્કસ સિનેમાઘર સુધી ખેંચી લાવશે. દર્શકો હસે, આરામ કરે અને સાથે થોડુ વિચારે પણ ખરા. અજય ફિલ્મમાં અભિનય પણ કરી શકે છે. નેવુના દસકની કહાની સેટ કરવામાં આવી છે. રખડતા જાનવરો પ્રત્યે એક પશુ ડોકટરના પ્રેમની વાત અહિ હશે. ભ્રષ્ટ અધિકારીની વાત પણ છે.