હું મજબુત અને આત્મવિશ્વાસુ બનીઃ મૃણાલ ઠાકુર
અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ ટીવી પરદેથી ફિલ્મોમાં પહોંચી સફળ થનારા કલાકારોમાં સામેલ છે. તે એક પછી એક મોટી ફિલ્મો હાથ પર કરી રહી છે. હાલમાં તે તૂફાન ફિલ્મને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે અનન્યા નામનું પાત્ર ભજવ્યું છે. મૃણાલે કહ્યું હતું કે તૂફાનના અનન્યાના પાત્રએ મને મજબૂત અને આત્મવિશ્વાસુ બનાવી દીધી છે. ફિલ્મમાં ફરહાન અખ્તર બોકસરના રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યુ છે. ફિલ્મની કહાની એક એવા બોકસરની છે જે ભરપુર સખત મહેનત કરી અનેક પડકારોનો સામનો કરીને સફળતા મેળવે છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાની છે. ફિલ્મના પોતાના અનન્યાના પાત્ર બાબતે મૃણાલે કહ્યું હતું કે આ મારા માટે સૌથી વધુ તોફાની ક્ષણો છે. આ મારી ચોથી ફિલ્મ છે. હું આહું ઘણુંબધું શીખી છું. મારા પાત્ર અનન્યાથી હું મજબૂત બની ગઇ છું.