આ પાત્રમાં ખુબ મજા આવે છેઃ મદાલશા
અભિનેત્રી મદાલશા શર્માએ અભિનય કારકિર્દીનો પ્રારંભ ૨૦૦૯થી સાઉથની ફિલ્મોથી કર્યો હતો. તેણે હિન્દી ફિલ્મો પણ કરી છે. પરંતુ ગયા વર્ષથી તે હિન્દી ટીવી સિરીયલમાં કામ કરતી થઇ છે ત્યારથી ઘર ઘરમાં જાણીતી બની છે. મિથુન ચક્રવતર્તિની પુત્રવધૂ મદાલશાને સસરા મિથુને જ ટીવી શોમાં કામ કરવા કહ્યું હતું. અનુપમા નામના ટીવી શોમાં મદાલશા કાવ્યાના રોલથી ખુબ જ નામના મેળવતી થઇ ગઇ છે. આ શોમાં તે નેગેટીવ જેવો રોલ ભજવી રહી છે. તે કહે છે મને આ પાત્ર ભજવવાની ખુબ મજા પડે છે. પરંતુ અમારા ઘરમાં પરિવારમાં વ્યવસાયની વાત ભાગ્યે જ થતી હોય છે. શોમાં કાવ્યા સ્વતંત્ર મીજાજી યુવતિ છે તેને જે જોઇએ છે તે મેળવીને જ જંપે છે. મને લાગે છે આપણે બધા વાસ્તવીક રીતે કાવ્યા જેવા જ છીએ. આથી કદાચ મને આ રોલ ખુબ જ અસલી લાગે છે. પરિવાર પાસે મારે અભિનય કે તેને લગતા કોઇ સલાહ સુચન લેવા હોય તો જ હું આ બાબતે વાત કરતી હોઉ છું.