ફિલ્મ જગત
News of Thursday, 22nd April 2021

બોલીવુડના જાણીતા સિનેમેટોગ્રાફર જોની લાલનું કોરોનાથી મોત : ઇન્ડસ્ટ્રીઝમાં શોક લહેર

મુંબઈ: બોલિવૂડના સિનેમેટોગ્રાફર જોની લાલનું નિધન થયું છે. તેણે મુંબઇ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. 'રહેના હૈ તેરે દિલ મેં' અને 'મુજે કુછ કહેના હૈ' સહિત અનેક ફિલ્મોમાં કામ કરનાર જોની લાલ છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાસ વાયરસ સામે લડી રહ્યો હતો. બોલિવૂડ એક્ટર આર.કે. માધવને તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આર માધવન સિવાય અભિનેતા તુષાર કપૂરે પણ તેમના મોતની શોક વ્યક્ત કરતા પોસ્ટ શેર કરી હતી.

(6:02 pm IST)