કોઇપણ રિયાલીટી શો નથી કરવા શાલિનીને
અભિનેત્રી શાલિની વિષ્ણુદેવ હાલમાં ટીવી શો 'સંતોષી મા-સુનાયે વ્રત કથાએં'માં માતાજી લક્ષ્મીના રોલમાં કામ કરી રહી છે. મુંબઇમાં જન્મેલી શાલિની અભિનયની કારકિર્દીને પસંદ કરીને ખુશ છે. જો કે તે સ્પષ્ટ કહે છે કે મને રિયાલીટી શો 'બિગ બોસ'માં જરાપણ રસ નથી. તે એવું પણ કહે છે કે મને કોઇપણ પ્રકારના રિયાલીટી શોમાં ભાગ લેવાનું ગમતું નથી. તે એમ કહે છે કે બિગ બોસ એ અભિનય કરવાનો નહિ, પબ્લીસીટી કરવાનો શો હોય તેવું મને લાગે છે.
'બિગ બોસ' જેવા શોમાં તમને અભિનય કરવા મળતો નથી. પરંતુ આવા શો પબ્લિસિટી માટે હોય છે. તે કહે છે હું અભિનેત્રી છું તેથી હાલમાં માત્ર અભિનય ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરી રહી છું. હાલમાં કોઇપણ રિયલિટી શો કરવા નથી માગતી, પરંતુ મને લાગશે કે આવા શો કરવાનો હવે યોગ્ય સમય આવી ગયો છે અને યોગ્ય ઓફર પણ છે, તો ત્યારે હું કામ કરવા વિચારીશ.