આવો રોલ આજ સુધી નથી નીભાવ્યોઃ શ્વેતા
ટીવી પરદે વધુ એક નવી સિરીયલ શરૂ થવાની છે. મૈં હું અપરાજીતા નામનો શો આગામી મંગળવારે ૨૭મીએ ઝીટીવી શરૂ થઇ રહ્યો છે. આ શોમાં શ્વેતા ગુલાટી પોતાના મોહિનીસિંહના રોલ દ્વારા ભરપુર ડ્રામા રજૂ કરશે. તેની સાથે માનવ ગોહિલ મુખ્ય રોલમાં છે. સિરિયલમાં અપરાજિતાની છબી ખરડવાનો પ્રયાસ મોહિની કરતી દેખાશે. પોતાના રોલ વિશે શ્વેતા ગુલાટીએ કહ્યું કે આ સિરિયલમાં કામ કરવાની મને ખુશી છે. આવા રોલ કરવાની મજા આવે છે. મારી કારકિર્દીમાં મેં આજ સુધી આવો રોલ નથી કર્યો. આ પાત્ર માટે મેન્ટલી અને ઇમોશનલી ખુબ તૈયારીની જરૂર પડે છે. મારો રોલ શોમાં હાઇ વોલ્ટેજ ડ્રામાનો ઉમેરો કરશે, કારણ કે હું અક્ષયની બીજી વાઇફના પાત્રમાં દેખાઈશ. ૧૭ વર્ષ બાદ હું માનવ સાથે ફરી કામ કરી રહી છું. અમે બંનેએ કારકિર્દીની શરૂઆત કરી ત્યારે યુવાન હતાં એ વાતની ખુશી છે કે હવે અનોખુ કરવાની તક મળી છે. મને આશા છે કે હું મારા આ પાત્ર સાથે ન્યાય કરી શકીશ અને દર્શકોને પણ એ ગમશે.