એ સમય ખુબ મુશ્કેલ હતોઃ અનુરાધા સિંહ
ટીવી પરદાની અભિનેત્રી અનુરાધા સિંહે કારકિર્દીની શરૂઆત હિસ્સાર દૂરદર્શન પર ન્યુઝ રિપોર્ટર તરીકે કરી હતી. એ પછી ચિત્રહારના એન્કર તરીકે કામ કર્યુ હતું. સાવધાન ઇન્ડિયામાં કામ કર્યા પછી તે વધુ જાણીતી બની હતી. ત્યારબાદ તેણે અગ્નિફેરા, જાત ન પુછો પ્રેમ કી સહિતના શો કર્યા હતાં. હિસ્સાર હરિયાણાની અનુરાધાનું કહેવું છે કે દરેક આર્ટીસ્ટની ઇચ્છા હોય છે કે તે એક કરતાં વધુ પ્રોજેક્ટમાં કામ કરે. અનુરાધા હાલમાં પુષ્પા ઇમ્પોસિબલ અને ઇમલી નામના શોમાં કામ કરી રહી છે. તે કહે છે શરૂઆતમાં મારા માટે બંને કામ એક સાથે કરવાનું મુશ્કેલ હતું. કારણ કે બંને શોના ટાઇમને લઇને કલેશ ઉભો થયો હતો. વળી બંને શોમાં એ સમયે ખૂબ જ મહત્ત્વનાં દૃશ્યો ચાલી રહ્યાં હતાં. આ સમયને હેન્ડલ કરવો ખૂબ જ મુશ્કેલ હતું. જોકે દરેક આર્ટિસ્ટ ઇચ્છતો હોય છે કે તેમની લાઇફમાં એવો સમય આવે કે તેઓ એટલું કામ કરી રહ્યા હોય કે તેમની પાસે સમય જ ન રહે. મને ખુશી છે કે મને આટલું કામ અને સારાં પાત્ર મળ્યાં છે.