ફિલ્મ જગત
News of Thursday, 26th May 2022

રકુલપ્રિત સિંહની વધુ ત્રણ ફિલ્‍મો

અભિનેત્રી રકુલપ્રિત સિંહ પોતાના અભિનયથી અસંખ્‍ય ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. તેણે ૨૦૦૯માં સાઉથની ફિલ્‍મોથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ત્‍યાં તે ટુંકા ગાળામાં જ જાણીતી બની ગઇ હતી. એ પછી બોલીવૂડમાં તે ૨૦૧૩માં વારીયા ફિલ્‍મથી એન્‍ટર થઇ હતી. ઐયારી, દેદે પ્‍યાર દે જેવી ફિલ્‍મોએ અહિ તેનું સ્‍થાન મજબુત બનાવી દીધું હતું. તાજેતરમાં તે અમિતાભ બચ્‍ચન અને અજય દેવગણ સાથે ફિલ્‍મ રનવે-૩૪માં જોવા મળી હતી. રકુલની બીજી ત્રણ ફિલ્‍મો રકુલની ફિલ્‍મો ડોક્‍ટર જી, ભગવાન કા શુક્ર હૈ અને છત્રીવાલી આવી રહી છે. રનવે-૩૪માં અજય દેવગણ અને અમિતાભ બચ્‍ચન સાથે કામ કરીને પોતાને ઘણુ શીખવા જાણવા મળ્‍યાનું તે કહે છે. અજયના વખાણ કરતાં રકુલ કહે છે કે તેની ફિલ્‍મ પ્રત્‍યેની પ્રતિબધ્‍ધતા સ્‍પષ્‍ટ દેખાય છ. તે ફિલ્‍મ માટે ખુબ જ કાળજી લે છે, તેનું ટેકનીકલ જ્ઞાન પણ અવાચક કરી દે તેવું છે. અભિતાભ સાથે કામ કરવાની તક મળી હોવાથી પોતાને રકુલ નસીબદાર સમજે છે. તે કહે છે બીગ બી આજે પણ યુવાનોને શરમાવે તેવી ઉર્જા સાથે કામ કરે છે.

(10:17 am IST)