ફિલ્મ જગત
News of Thursday, 27th August 2020

સંઘર્ષના દિવસોમાં પ૦૦ ઓડિશન આપ્યા હતાં: રાહુલ

ટીવી અભિનેતા રાહુલ શર્મા સિરીયલ પ્યાર કી લુકાછુપીમાં જોવા મળી રહ્યો છે. આ શો પહેલા તેણે સતત બે વર્ષ સંઘર્ષમાં પસાર કર્યા હતાં. તે કહે છે અભિનય કારકિર્દી મેં પસંદ કરી એ મારા માટે સાહસિક પગલુ હતું. મેં બીજુ બધુ એકબાજુ મુકી ઝનુન પુર્વક અભિનય કારકિર્દી માટે દોટ મુકી હતી. સંઘર્ષના દિવસોમાં પાંચસો-છસ્સો જેટલા ઓડિશન આપ્યા હતાં. એ પછી મને કામ મળ્યું હતું. નિર્દેશકે મને આશ્વાસન આપ્યું હતું કે તે મને સિરીયલમાં લેશે. પણ કાર્યશાળા શરૂ થઇ એ સાથે જ દસ મિનીટ પછી મને કહી દેવાયું હતું કે હું આ કામ કરી શકુ તેમ નથી. એ વખતે મારી પાસે બે જ રસ્તા હતાં. એક હું બધુ છડી ઘરે જતો રહું અને બીજો વધુ પ્રયાસ માટે આગળ વધું. એ પછી મેં બે-ત્રણ ઓડિશનની સામે સાત-આઠ ઓડિશન દેવાનું શરૂ કર્યુ. છેલ્લે મને મહેનતનું પરિણામ મળ્યું હતું. મને પ્રારંભે જ દેવ આનંદ તરફથી આશિર્વાદ મળ્યા હતાં. તેમણે કહેલું કે યંગમેન તારું જીવન સારુ હશે. મારા માટે આ નસિબવંતુ હતું. રાહુલનો શો દંગલ ચેનલ પર દરરોજ સાંજે સાત વાગ્યે પ્રસારીત થાય છે.

(9:56 am IST)