હવે સારવાર માટે અમેરિકા નહીં જાય સંજય દત્ત : મુંબઈમાં જ કરાવશે ઈલાજ
મુંબઈ: અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. ગત સપ્તાહે અભિનેતાને 5 વર્ષનો યુએસ વિઝા સારવાર માટે મળ્યો હતો. પરંતુ હવે તે તેની સારવાર મુંબઇમાં જ કરાવી લેશે. લગભગ 2 અઠવાડિયા પહેલા લીલાવતી હોસ્પિટલમાં સંજય દત્તના ફેફસાંમાંથી 1.5 લિટર પાણી કાઢવામાં આવ્યું હતું. સારવારમાં હવે વધુ રાહ જોવાનો કોઈ અર્થ નહોતો કારણ કે તેનાથી સંજયના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. ડો. જલીલ પારકરે પુષ્ટિ કરી, 'સંજય કોકિલાબેનની અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ ત્યાં સારવાર ચાલુ રાખશે. જ્યારે તેમણે છેલ્લે મને મળ્યા ત્યારે તેણે આ ઈચ્છા વ્યક્ત કરી. થોડા સમય માટે, તેણે અમેરિકા જવા માટેની યોજના મુલતવી રાખી હોય તેવું લાગે છે અને મુંબઇમાં જ તેની સારવાર ચાલી રહી છે.