ફિલ્મ જગત
News of Friday, 30th July 2021

ફરીથી માહિરા બનવા આતુર રહીશઃ સ્વાતિ

દર્શકોમાં ખુબ પ્રિય બનેલા ટીવી શો કુંડલી ભાગ્યમાં માહિરાના પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી સ્વાતિ કપૂરે આ શો છોડી દીધો છે. આ શોમાં માહિરા જ્યારથી લુથરા પરિવારમાં એન્ટર થઇ હતી ત્યારથી દરેક માટે મુસીબત લાવી છે. તે -પ્રીતાને દુખ પહોંચાડવા માટે કઇ પણ કરી શકે છે. જોકે નવા ટ્વિસ્ટમાં તેણે લુથરા પરિવારથી દૂર થવું પડી રહ્યું છે. આ વિશે વાત કરતાં સ્વાતિએ કહ્યું હતું કે 'માહિરાની મુસાફરી ખૂબ સુંદર રહી છે. સતત બે વર્ષ સુધી આ શોમાં કામ કરવું મને ગમ્યું છે. મને ખબર જ નહોતી કે માહિરા જેવું પાત્ર મારી જિંદગીનો એક ભાગ બની જશે, પરંતુ નસિબથી મને આ પાત્ર મળ્યું. મેં લૂક ટેસ્ટ કે ઑડિશન પણ આપ્યું નહોતું છતાં હું પાત્ર માટે એકદમ બરાબર ફીટ બેસી ગઇ હતી. મજાની વાત એ હતી કે માહિરાના પાત્રના નેગેટિવ અને પોઝિટિવ એમ બંને શેડ હતાં. છેક સુધી મને આ પાત્ર ભજવવાની મજા આવી છે. સમગ્ર ટીમે મને છેક સુધી સહકાર આપ્યો છે. ફરી કંઇક ટ્વિસ્ટ આવે તો હું ફરીથી માહિરા તરીકે આ શો સાથે સામેલ થવા ઉત્સુક છું.

(9:54 am IST)